Wednesday 9 November 2011

Re-narration

પ્રથમવાર કપડાથી પાણી ગાળવાનો પ્રયોગ બાંગલાદેશમાં જ્યારે કોલેરાનો રોગ ફાટી નીક્ળયો ત્યારે આ રોગના નિયંત્રણ માટે મોટા પાયા પર કરવામા આવ્યો હતો. આ રીતે ગાળેલ પાણી ૯૯% રોગજન્ય જન્તુરહિત હોય છે. જ્યારે પાણી શુધ્ધ કરવા બીજી કોઈ સુવાધા ઉપલબ્ધ ના હોય ત્યારે આ પ્રક્રિયા ખૂબ ઉપયોગી છૅ.

૧. ગાળણક્રિયા માટે સુત્રાઉ કપડાનો ઉપયોગ :

ગાળણક્રિયા- એક સફેદ, સાફ, પાતળુ, જૂનુ કપડુ લૈઇને તેને ત્રણવાર ગડી કરો જેથી તેના આઠ પડ રચાય. આ કપડાને નળની ઉપર અથવા પાણી ભરવાના વાસણ ઉપર બાંધીને પાણી ભરવુ. ત્યારબાદ કપડાને સાબુથી ધોઇને તડકામાં સુકવવાથી તે જન્તુમુક્ત થઇ જશે અને બીજીવાર ઉપયોગમાં લઈ શકાસે. પાણી ભરતા પહેલા હાથ અને વાસણ સાફ કરવા જરુરિ છે. પાણી ઢાંકીને રાખવુ.

જંતુરહિત કરવાની ક્રિયામાં ગાળેલા પાણીને સાફ બોટલમાં ભરી ૬કલ્લાક સૂર્યપ્રકાશની ગર્મીથી અલ્ટ્રાવાયોલેટ કિરણોં દ્વારા , અથવા રસાયણના ઉપયોગ દ્વારા જેમ કે આયોડીનના આઠ ટીપા પાણીમાં ઉમેરીને જંતુરહિત કરવામાં આવે છે.

Re-narration by Anonymous in Gujarati targeting Gujarat for this web page

No comments:

Post a Comment