Wednesday 7 December 2011

Re-narration

વૈશ્વિકીકરણના પગલાં

અવમૂલ્યન:

વૈશ્વિકીકરણ તરફ પ્રથમ પહેલ ત્યારે લેવામાં હતી જ્યારે, તમામ મુખ્ય વૈશ્વિક ચલણ સામે ભારતીય ચલણના ૧૮-૧૯% અવમૂલ્યનની જાહેરાત કરવામાં આવી હતી. આ આંતરરાષ્ટ્રીય વિદેશી વિનિમય એરેના માં મુખ્ય પહેલ કરવામાં આવી હતી. વિનિમય ચૂકવણીની સમસ્યા પણ આ પગલા દ્વારા ઉકેલાઈ શકાય છે.

Disinvestment(સરકાર દ્વારા જહેર ક્ષેત્રમાં મૂડીનુ રોકાણ ન કરવુ તે):

વૈશ્વિકીકરણના મુખ્ય તત્વો ખાનગીકરણ અને ઉદારીકરણ છે. આ ખાનગીકરણની યોજના હેઠળ, મોટા ભાગના જાહેર ક્ષેત્રનુ ખાનગીકરણ કરવામાં આવી રહ્યુ છે. આમ પીપીપી (જાહેર ખાનગી ભાગીદારી)નો ખ્યાલ અમલમાં આવ્યો.

વિદેશી કંપનીઓને ડાયરેક્ટ (એફડીઆઇ) રોકાણ મંજૂરી આપી:

ની મંજૂરી આપી મૂડીનો પ્રવાહ વ્હેતો કર્યો એ વૈશ્વિકીકરણ મુખ્ય પગલું છે. આ વિદેશી રોકાણ શાસન તદ્દન પારદર્શક હોવાથી અર્થતંત્રમાં સુધારો જોવામાં આવેલ છે. વિવિધ ક્ષેત્રો ઉદારીકરણ દ્વારા એફડીઆઇ માટે ખોલવામાં આવ્યા હતા.

વૈશ્વિકીકરણના ગેરફાયદા


વૈશ્વિકીકરણના લાભો સાથે નકારાત્મક અસરો પણ થાય છે. વૈશ્વિકીકરણની એક મુખ્ય ચિંતા એ છે કે તે દેશને આવકની અસમાન વહેંચણી તરફ દોરી જાય છે, બીજો ભય એ છે કે, વૈશ્વિકીકરણ દેશની સ્થાનિક નીતિઓને અસર કરે છે. વૈશ્વિકીકરણથી ચેપી રોગો ફેલાવવાનુ જોખમ વધે છે, ઈજારશાહી પણ વધી શકે છે.વૈશ્વિકીકરણથી વિકસિત રાષ્ટ્રો દ્વારા વિકાસશીલ દેશોમાં કામ કરાવવાથી વિકસિત રાષ્ટ્રોમાં નોકરીની તકો ઘટે છે

Re-narration by Anonymous in Gujarati targeting Gujarat for this web page

No comments:

Post a Comment