Thursday 6 December 2012

Raika Bio-cultural Protocol

અમારા જૈવ સાંસ્કૃતિક મૂલ્યો

રહેઠાણ:

રહેઠાણ: અમે રાઇકા દેશી સમુદાય ઉત્તર ભારતમં આવેલ રાજસ્થાનમં વસીએ છીએ. અમારી સંખ્યા મારુ રાઇકા જે સમગ્ર રાજ્યમાં અને , ગૌડા રાઇકા જે પાલી, જાલોર અને સિરોહીમાં રહે છે તેની સાથે લગભગ (૧૦,૦૦૦ )દસ હજાર જેટલી છે.

આ વિસ્તારની શુષ્ક આબોહવા અને સુકી જમીન પર્યાવરણવ્યવસ્થ હોવા છતાં, અમે આ પ્રદેશમાં ૭૦૦ વર્ષોથી અનન્ય પશુધન પાલનપોષણ અને સ્થાનિક પર્યાવરણ સંરક્ષકો તરીકે કામ કરી રહયા છીએ. 

અમારી ઉત્પત્તિ:

અમારી ઉત્પત્તિ:એક આધ્યાત્મિક સ્તરે, અમે માનીએ છીએ કે અમારી રચના ભગવાન શિવ દ્વારા થઇ હતી. આ ઊંટ તેની પત્ની પાર્વતી દ્વારા આકાર પામ્યુ હતુ, અને તે ભગવાન શિવ દ્વારા જીવન લાવવામાં આવ્યો હતો. પરંતુ ઊંટની રમતિયાળપણાને કારણે તે એક ઉપદ્રવ થઇ ગયુ, તેથી ભગવાન શિવે ઊંટની કાળજી લેવા માટે તેમના ત્વચા અને પરસેવામાંથી રાઇકાની રચના કરી. અમારા આધ્યાત્મિક બ્રહ્માંડ અમારા પશુધન સંવર્ધન, અને અમારી વંશીયતા, આ બધુ અમારા પ્રજાતિઓ અને જીવન માર્ગ સાથે ઓતપ્રોત રીતે વીંટળાયેલા છે. અમે હંમેશા જાતને અલગ સ્વદેશી સમુદાય માનીએ છીએ, એક હકીકત એ છે કે જે નોંધવામાં આવેલ છે, ઉદાહરણ તરીકે ૧૮૯૧ માં (1891) જોધપુર મહારાજા વતી મારવાડમાં વસ્તી ગણતરી કરવામાં આવી હતી.

અમારી પ્રણાલિકાગત આજીવિકા:

અમારી પ્રણાલિકાગત આજીવિકા: અમે સ્વદેશી ભ્રમણશીલ પશુપાલકોના જે ઢોરોની વિવિધ જાતોને અમારા પરંપરાગત જ્ઞાનના આધારે વિકસાવેલ છે અને પ્રણાલિકાગત અમારા ઊંટ, ઘેટા, બકરા કોમી જમીનો પર અને જંગલોમાં અને પશુને ચરાવીએ છીએ. આનો અર્થ એ થાય કે અમારી આજીવિકા અને અમારી ખાસ જાતિઓના અસ્તિત્વને જંગલો, (ગામ કોમી ચરાઈ જમીન) gauchar અને oran (પવિત્ર થતો મંદિરો સાથે સંકળાયેલા)ના વપરાશ પર આધારિત છે. બદલામાં, અમારા પ્રાણીઓ જયાં તે ચરે છે તેના સ્થાનિક પારિસ્થિતિક તંત્રના જૈવ સાંસ્કૃતિક મૂલ્યો ટકાવવા મદદ કરે છે અને અમે આ વિસ્તારમાં સમુદાયો માટે સહાય પૂરી પાડીએ છીએ. આમ અમે દેશી પશુપાલન સંસ્કૃતિને, જંગલોનો ઉપયોગ અને અમારાથી જંગલને ફાયદાઓ બંને રીતે,એક પરસ્પર લાભકારી ચક્રમાં, જોઇએ છીએ.

Re-narration by Amrapali in Gujarati targeting Gujarat for this web page

No comments:

Post a Comment