Thursday 20 December 2012

Raika Bio-cultural Protocol

ભારતીય કાયદા અને નીતિ અનુસાર અમારા અધિકાર

A. જૈવશાસ્ત્રા વિવિધતા કાનુન ૨૦૦૨ અને જૈવશાસ્ત્ર વિવિધતા નિયમ ૨૦૦૪

જૈવિક વિવિધતા પર સંમેલનમાં ભારત તેના વચનો પરિપૂર્ણ પ્રયત્નોમાં ૨૦૦૨ જીવવિવિધતા ધારો હેઠળ જૈવિક વિવિધતા, તેના ઘટકોનો ટકાઉ ઉપયોગનો અને આવા જૈવિક વિવિધતા અને સંકળાયેલ પરંપરાગત જ્ઞાન (TK)ના ઉપયોગથી થતા લાભોની પણ વાજબી અને ન્યાયપૂર્ણ વહેંચણી સંરક્ષણ પૂરા પાડે છે. આ જૈવિક વિવિધતા ધારો રાષ્ટ્રીય જીવવિવિધતા સત્તાધિકરણ (NBA) સ્થાપે છે અને જૈવિક વિવિધતા નિયમો ૨૦૦૪ મા એનબીએ ના કાર્યોની યાદી આપે છે જેમ કે જૈવિક વ્યાપારી અને સંશોધનના હેતુઓ માટે અને સાધનો સંકળાયેલ TKના ઉપયોગનું નિયમન કરવુ. એનબીએને જૈવવિવિધતા અને સંકળાયેલ TKનું સંરક્ષણ અને ટકાઉ ઉપયોગનો અને જૈવિક સંસાધનો અને સંકળાયેલ TKના ઉપયોગથી થતા લાભો પણ વાજબી અને ન્યાયપૂર્ણ વહેંચણી સંબંધિત બાબતે કેન્દ્ર સરકારને સલાહ આપવાની પણ સત્તા છે. જૈવિક વિવિધતા ધારો 36 વિભાગ હેઠળ અન્ય બાબતો માટે કેન્દ્ર સરકારે સિટુ દ્વારા જૈવિક વિવિધતાનો ટકાઉ ઉપયોગ અને સંરક્ષણ પ્રમોટ કરવા અને કોઈપણ પર્યાવરણીય અસર આકારણીઓ દ્વારા જાહેર ભાગીદારીમાં હાથ ધરવામાં આવેલ પ્રોજેક્ટથી જૈવિક વિવિધતા પર પ્રતિકૂળ અસરો ઘટાડવી વગેરે (બાબતો)ના સમાવેશની જરૂર છે. કેન્દ્ર સરકાર સ્થાનિક સમુદાયો સંકળાયેલ TK સંદર્ભમાં રક્ષણ અને તેની સુરક્ષા માટે એનબીએ ની ભલામણો અનુસાર અન્ય અદ્વિતીય પદ્ધતિઓને સમાવી TKની નોંધણી કરવી વગેરે કામ કરી રહી છે. ધારા ૩૮ હેઠળ કેન્દ્ર સરકારે જે પ્રજાતિઓ લુપ્ત થવાની અણી પર છે તેનુ રક્ષણ અને તેને સાચવણી કરવી જરૂરી છે.

સ્થાનિક સ્તરે એનબીએની ભૂમિકાની અસરકારક પરિપૂર્ણતાની ખાતરી કરવા માટે, પંચાયતો અથવા નગરપાલિકાઓ, જેમ કે સ્થાનિક સંસ્થાઓ ધારા ૪૧ હેઠળ જૈવવિવિધતાના સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ અને સાથે સંકળાયેલ TKના દસ્તાવેજીકરણને પ્રોત્સાહન માટે જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિ (BMCs) સુયોજિત કરવી જરૂરી છે. એનબીએ અને રાજ્ય જૈવવિવિધતા બોર્ડ જ્યારે કોઈપણ બીએમસી ના પ્રાદેશિક ક્ષેત્રાધિકાર અંદર જૈવિક સંસાધનો અને સંકળાયેલ TK ઉપયોગ સંબંધી નિર્ણય કરે ત્યારે BMCsને સંપર્ક કરશે. ૨૦૦૪ (2004 )ના જૈવિક વિવિધતા નિયમો 22 (6) નિયમ હેઠળ બીએમસીનું મુખ્ય કાર્ય સ્થાનિક પ્રજા સાથે જૈવવિવિધતા પ્રાપ્યતા અને સ્થાનિક જૈવિક સંસાધનો અને તેમના સંકળાયેલ TK જ્ઞાન પર પરામર્શ કરી વ્યાપક જાણકારીની નોંધણી તૈયાર કરવી.ધારા ૨૧ હેઠળ જૈવિક વિવિધતા ધારો એ બાબત પર ધ્યાન આપે છે કે એનબીએ તેની જૈવિક સ્રોતો અથવા સંકળાયેલ TK પ્રવેશ માટે કોઈ પર અરજી સંબંધિત મંજૂરી, સ્થાનિક સમુદાય કે જેઆવા સાધન અથવા સંકળાયેલ TK પૂરું પાડે છે તેની સાથે પરસ્પર સંમત શરતો અને વાજબી અને ન્યાયી લાભ વહેંચણી અંગે વાટાઘાટ કરી છે કે નહી તે આધાર પર આપશે.(જૈવિક વિવિધતા ધારો 2 (અ) મુજબ- લાભ દાવો કરનાર). સ્થાનિક સમુદાય અથવા લાભ દાવો કરનારની સમસ્યાનો નિકાલ, સ્થાનિક બીએમસી ના પ્રાદેશિક અધિકારક્ષેત્ર હેઠળ પ્રજા જૈવવિવિધતા નોંધણી અનુસાર કરવામાં આવશે.

Re-narration by Amrapali in Gujarati targeting Rajasthnan for this web page

No comments:

Post a Comment